હયાત માતા-પિતા ની છત્રછાયામાં,
વ્હાલપના બે વેણ બોલીને નીરખી લેજો,
હોઠ અડધા બીડાઈ ગયા પછી,
ગંગાજળ મુકીને શુ કરશો....?
અંતરના આશીર્વાદ આપનારને,
સાચા દીલથી એક ક્ષણ ભેટી લેજો,
હયાતી નહી હોય ત્યારે નત મસ્તકે,
છબીને નમન કરીને શુ કરશો....?
કાળની થપાટ વાગશે,અલવિદા એ થઈ જશે,
પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહી ફરે,
લાખ કરશો ઊપાય તે વાત્સલ્ય લ્હાવો નહી મળે,
પછી દિવાનખંડમા તસ્વીર મુકીને શું કરશો...?
માતાપિતાનો ખજાનો ભાગ્યશાળી પુત્રને મળે,
શ્રવણ બનીને ઘડપણની લાકડીત મે બનજો,
સ્નેહ ની ભરતી આવી ને ચાલી જશે પલમાં,
પછી કીનારે છીપલાં વીણીને શું કરશો.....?
હયાત હોય ત્યારે હૈયુ તેમનુ ઠારજો,
પાનખર મા વસંત આવે એવો વ્યવહાર રાખજો,
પંચભુતમા ભળી ગયા પછી આ દેહના,
અસ્થિને ગંગામા પધરાવીને શું કરશો.....?
પૈસા ખર્ચતા સઘળૂ મળશે માતા-પિતા નહી મળે,
ગયો સમય નહી આવે લાખો કમાઈને શું કરશો,
પ્રેમ થી હાથ ફેરવીને "બેટા" કહેનાર નહી મળે,
પછી ઉછીનો પ્રેમ લઈને આંસુ સારીને શું કરશો...?
હેતથી હાથ પકડી કયારેક તીર્થ સાથ ફરજો,
અડસઠ તીર્થ તેના ચરણોમાં, બીજા તીર્થ ફરશો નહી,
માતદેવ ભવ,પિતદેવો, સનાતન સત્ય છે,
પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો....?
- દિલિપ્ કુમાર શાહ